
કેસની કાયૅવાહી કલમ ૩૪૫ હેઠળ કરવી ન જોઇએ એમ કોટૅને લાગે ત્યારે અનુસરવાની કાયૅરીતિ
(૧) કોઇ કેસમાં કોટૅને એમ લાગે કે કલમ ૩૪૫માં ઉલ્લેખાયેલા અને પોતાના દેખતા કે પોતાની હાજરીમાં થયેલા કોઇ ગુનાના આરોપીને દંડ ન ભરવા બદલ હોય તે સિવાયની કેદની સજા થવી જોઇએ અથવા તેને બસો રૂપીયાથી વધુ રકમનો દંડ કરવો જોઇએ અથવા બીજા કોઇ કારણે તે કોટૅનો અભિપ્રાય એવો થાય કે કલમ ૩૪૫ મુજબ તે કેસનો નિકાલ ન કરવો જોઇશે તો તે કોટૅ જે હકીકતોથી ગુનો બનતો હોય તેની અને આરોપીના કથનની આ અધીનિયમમાં આ પહેલા જોગવાઇ કર્યું પ્રમાણે લેખિત નોંધ કરીને તે ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરવાની હકુમત ધરાવતા મેજિસ્ટ્રેટને તે કેસ મોકલી શકશે અને આરોપી તે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થાય તે માટે જામીનગીરી આપવા ફરમાવી શકશે અથવા જો પુરતી જામીનગીરી આપવામાં ન આવે તો તે વ્યકિતને તે મેજિસ્ટ્રેટ તરફ કસ્ટડી હેઠળ મોકલી આપશે
(૨) આ કલમ હેઠળ જેને કોઇ કેસ મોકલવામાં આવે તે મેજિસ્ટ્રેટે શકય હોય તેટલે સુધી તે કેસની કાયૅવાહી પોલીસ રીપોટૅ ઉપરથી શરૂ કરવામાં આવેલ હોય તેમ તેની આગળ કાયૅવાહી કરવી જોઇશે
Copyright©2023 - HelpLaw